Gujarat :લગ્નપ્રસંગમાં જતી બસમાં થયો અકસ્માત, 2 લોકોનું મોત, 5ને ઈજા

05 February, 2021 02:10 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

Gujarat :લગ્નપ્રસંગમાં જતી બસમાં થયો અકસ્માત, 2 લોકોનું મોત, 5ને ઈજા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના તાપી જિલ્લામાં શુક્રવારે સવારે થયેલા એક રોડ અકસ્માતમાં બે લોકોનું મોત થયું અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર અકસ્માત તે સમયે થઈ જ્યારે પ્રવાસીઓથી ભરેલી ખાનગી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં પ્રવાસ કરી રહેલા બે પ્રવાસીઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને પાંચ મુસાફરો ઘાયલ થયા હતા. બસમાં પ્રવાસ કરી રહેલા તમામ લોકો લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા.

વલોદ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી. આર. વસાવા અનુસાર ઘટના વલોદના ગામ પાસે વ્યારા-બાજીપુરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. આ લક્ઝરી બસમાં પ્રવાસ કરી રહેલા લોકો મહારાષ્ટ્રના માલેગાંવથી દક્ષિણ ગુજરાતના સુરત તરફ એક લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં બે લોકોનું મોત નીપજ્યું હતું અને પાંચને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ચાલક બસને કાબૂમાં ન કરી શકતા આ અકસ્માત સર્જાયો હતો અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયો હતો.

ગુજરાતના મોરબીમાં ગયા 28 જાન્યુઆરીએ થયેલા રોડ અકસ્માતમાં ચાર લોકોનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગુજરાતના મોરબીમાં એક મિની ટ્રકે ટૂ-વ્હીલર વાહને ટક્કર મારી હતી, આ દુર્ઘટનામાં ચાર લોકોનું મોત થયું હતું. ઘાયલ વ્યક્તિની ઓળખ રાજસ્થાનના દિનેશ શંભુ તરીકે થઈ હતી. આ દુ: ખદ અકસ્માતમાં શિવાજી ગમેતી (19), તેમના ભાઈ સુરેશ (18), તેજારામ ગમેતી (17) અને શિવાજીના જીજા માણલાલ કાલવા (19)નું મોત થયું હતું.

gujarat