07 January, 2021 03:21 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકાર દ્વારા શાળા અને કૉલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧૧ જાન્યુઆરીથી શાળા અને કૉલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે.
ગઈ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં શાળા અને કૉલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઇડલાઇન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણકાર્ય શરૂ થશે.
રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૅબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વર્ગ ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે સાથે જ ઑનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.