અમિત જેઠવા હત્યાકાંડઃ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિત

06 July, 2019 02:25 PM IST  |  અમદાવાદ

અમિત જેઠવા હત્યાકાંડઃ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિત

અમિત જેઠવા હત્યાકાંડઃ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિત

CBIએ આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવ હત્યા કેસના મામલામાં સાત લોકોને દોષી ઠેરવ્યા છે. જેમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું નામ પણ સામેલ છે. આ મામલે સજાનું એલાન 11 જુલાઈએ થશે. દીનુ બોઘા સોલંકી સાથે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ પણ દોષિત ઠર્યા છે.


આજીવન કેદની સજાની રજૂઆત
CBIના વકીલે કોર્ટમાં આરોપીઓને કડક આજીવન કેદની સજા કરવાનીમ માંગણી કરી છે. જ્યારે બચાવ પક્ષના વકીલે દીનુ બોઘા સોલંકીની ઉંમરને જોતા તેમને ઓછી સજા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ હરેન પંડ્યા હત્યા કેસ : સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી

2010માં સરાજાહેર થઈ હતી હત્યા
જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસની તપાસ હાથ ધરીને જૂનાગઢથી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતના સાત આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. અમિત જેઠવાએ જે દિવસે જંગલમાં ચાલી રહેલા ગેરકાયદે ખનના વિશે PIL કરી હતી એ જ દિવસે હત્યા કરવામાં આવી હતી.

ahmedabad Gujarat BJP gujarat