રાજકોટઃહનુમાન જયંતી નિમિત્તે બાલાજીને કરાયો ડ્રાયફૂટનો શણગાર

19 April, 2019 12:23 PM IST  |  રાજકોટ

રાજકોટઃહનુમાન જયંતી નિમિત્તે બાલાજીને કરાયો ડ્રાયફૂટનો શણગાર

બાલાજી ભગવાનને ડ્રાયફ્રૂટનો શણગાર

દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે. ભક્તો બાલાજીની પૂજા અર્ચના અને દર્શન કરી રહ્યા છે. રાજકોટના બાલાજી હનુમાન મંદિરમાં હનુમાનજીનો ડ્રાયફૂટથી શણગાર કરાયો છે. બાલાજી હનુમાન મંદિરે બાલાજીને ચાંદીની તલવાર અર્પણ કરાઈ છે.

વહેલી સવારથી જ મંદિરે બાલાજી ભગવાનના દર્શન કરવા માટે ભીડ ઉમટી રહી છે. ડ્રાયફૂટ શણગારના દર્શન કરવા માટે અબાલ વૃદ્ધ સૌ ભક્તજનો ઉમટી પડ્યા હતા. હનુમાન જયંતી નિમિત્તે બાલાજી મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યુ.

હનુમાનજીના મંદિરે છપ્પનભોગ અન્નકૂટ મહોત્સવની સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. શોભાયાત્રા બાલાજી મંદિરથી સાંજે 4.30 કલાકે યોજાશે. તો સાંજે 7 વાગે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.

 

gujarat rajkot