11 January, 2019 03:30 PM IST | ગાંધીનગર
વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટનની સાથે સાથે વડાપ્રધાન મોદી અમદાવાદની વી. એસ. હોસ્પિટલનું પણ ઉદઘાટન કરવાના છે.
પીએમ મોદીના કાર્યક્રમ પ્રમાણે તેઓ 17મીએ 2.30 વાગે ગુજરાત આવશે. અને 4 વાગે વી. એસ. હોસ્પિટલની નવી ઈમારતનું લોકાર્પણ કરશે. સાથે જ વી. એસ. હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે મીટિંગ કરશે.
તો 5.45થી 5 વાગ્યા સુધી વડાપ્રધાન મોદી રિવરફ્રન્ટ પર યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લેશે અને તેનું ઉદઘાટન કરશે. તો સાંજે તેઓ ગાંધીનગર પરત ફરશે અને ગાંધી કુટિરમાં લેસર શૉ નિહાળશે.
18 તારીખે વાઈબ્રન્ટ સમિટનું ઉઘાટન થશે. વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીએ સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે 18મીએ રાત્રે વડાપ્રધાન મોદી ડેલિગેટ્સ સાથે ડિનર કરશે સાથે જ તે જ દિવસે સાંજે 4થી 6 વાગ્યા સુધી વન ટુ વન બેઠક પણ કરશે.