ગુજરાતની આ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન કોર્સ નથી માન્ય

16 May, 2019 08:10 PM IST  |  ગાંધીનગર

ગુજરાતની આ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન કોર્સ નથી માન્ય

રાજ્યમાં એજ્યુકેશનને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની ખાનગી યુનિવર્સિટી રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર. કે યુનિવર્સિટી સહીત અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય નથી. રાજ્યની કૃષિ યુનિવર્િસટીઓની કાઉન્સિલ દ્વારા આ યુનિવર્સિટીમાં પ્રવેશ ન લેવા માટે સલાહ આપવવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની ખાનગી યુનિવર્સિટીના કૃષિ અભ્યાસક્રમો ગેરલાયક ઠર્યા હોવાથી વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની રાય યુનિ., પારુલ યુનિ., આર.કે. યુનિ. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવાઈ રહ્યા છે.. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા આદેશ અપાયા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ થશે સ્વચ્છ, જાહેરમાં થૂંકશો તો થશે દંડ

જો કે સરકારના આ નિર્ણય સામે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018 માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરાઈ હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ચુકાદો આપી ચૂકી છે. આ ચુકાદા પ્રમાણે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં ICAR દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ થતો ન હોવાથી અને રાજ્ય સરકારની મંજૂરી ન હોવાથી તમામ અભ્યાસ ક્રમો અમાન્ય હતા.

ahmedabad gandhinagar gujarat