જયંતી ભાનુશાળીની હત્યા મામલે હાર્દિક પટેલના ભાજપ પર પ્રહાર

08 January, 2019 12:41 PM IST  | 

જયંતી ભાનુશાળીની હત્યા મામલે હાર્દિક પટેલના ભાજપ પર પ્રહાર

જયંતી ભાનુશાળીની હત્યા બાદ પરિવારે ભાજપના જ નેતા છબીલ પટેલ પર આંગળી ચીંધી છે. તો બીજી તરફ રાજ્યમાં આ મામલે રાજકારણ રમાઈ રહ્યું છે. કૉંગ્રેસની સાથે સાથે હવે આ મામલે હાર્દિક પટેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે ગુજરાત મોડેલની હવા નીકળી ગઈ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું છે કે,'ગુજરાત મોડેલની વધુ એકવાર હવા નીકળી ગઈ. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી અને તેમના પરિવારનું કહેવું છે કે આ હત્યા પાછળ ભાજપના જ નેતાનો હાથ છે. ગુજરાત સરકારમાં ભાજપના જ નેતા સુરક્ષિત નથી તો જનતાનું શું થશે તે વિચારવા જેવી વાત છે.'

 

ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ કેસમાં ચર્ચામાં રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં જ હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ રાજ્યમાં ચકચાર મચી છે.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળી હત્યા કેસઃરેલવેએ કરી SITની રચના