રાજકોટમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસઃ સ્વાઇન ફ્લુથી વધુ એકનું મોત

18 March, 2020 11:54 AM IST  |  Rajkot | Agencies

રાજકોટમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસઃ સ્વાઇન ફ્લુથી વધુ એકનું મોત

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમ શહેરમાંથી પાછા ફરેલા ૧૯ વર્ષના યુવકમાં કોરોના વાઇરસનાં શંકાસ્પદ લક્ષણો જણાતાં તેના સૅમ્પલ લેવામાં આવ્યા છે. આ સૅમ્પલ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર કોરોના વાઇરસનાં પૉઝિટિવ લક્ષણો છે કે નહીં.

બીજી તરફ શહેરમાં સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સ્વાઇન ફ્લુનો ત્રીજો કેસ નોંધાવા પામ્યો છે જેમાંથી બે દરદીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાં છે. રવિવારના રોજ પડધરીની મહિલા દરદીનું મોત સ્વાઇન ફ્લુના કારણે થયું હતું. ગઈ કાલે એટલે કે સોમવારે ઉપલેટાનાં વૃદ્ધાનું સ્વાઇન ફ્લુના કારણે મૃત્યુ નીપજ્યું છે.

એક તરફથી વિશ્વ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકની અંદર સ્વાઇન ફ્લુના કારણે બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

gujarat rajkot coronavirus