જામનગર વન વિભાગે કાળિયાર હરણનો શિકાર કરતી ટોળકીને ઝડપી

14 October, 2019 08:14 AM IST  |  જામનગર

જામનગર વન વિભાગે કાળિયાર હરણનો શિકાર કરતી ટોળકીને ઝડપી

કાળિયાર(પ્રતિકાત્મક તસવીર)

જામનગર વનવિભાગ દ્વારા જામનગરમાંથી કાળિયાર હરણની શિકારી ટોળકી ઝડપી પાડી રાજકોટના પાનેલી પંથકમાં કાળિયારનો શિકાર કરી જામનગરમાં ચામડું વેચવા આવ્યા અને જામનગર વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
બૉલીવુડ સ્ટાર સલમાન ખાન જે કેસમાં ફસાયો છે એ કાળિયારનો શિકાર કરવાનો ચોંકાવનારો કિસ્સો જામનગર વનવિભાગે પકડી પાડ્યો છે. રાજકોટના ધોરાજી નજીક પાનેલી પંથકમાંથી કાળિયાર હરણનો શિકાર કરી જામનગરમાં ચામડું વેચવા આવેલી શિકારી ટોળકીના આઠ શખ્સોને દબોચી લઈ વનવિભાગે આઠે આરોપી વિરુદ્ધ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વન્ય જીવોથી ભરપૂર સૌરાષ્ટ્રમાં ઘણી જાતનાં પશુપક્ષીઓનો બેફામપણે શિકાર કરવામાં આવે છે. એવામાં ધોરાજી પંથકમાં આવેલા પાનેલીમાં શિકારી ટોળકી દ્વારા શેડ્યુલ ૧ ભાગ બેમાં આવતા કાળિયાર હરણનો શિકાર કરવામાં આવી રહ્યો છે. કાળિયાર હરણનું ચામડું તેમ જ શરીરનાં અન્ય અંગોનો પણ ખાનગીમાં ધંધો ચાલી રહ્યો હોય તેવી બાતમીના આધારે બે દિવસ પહેલાં જામનગર શહેરની હરિયા કૉલેજ પાસે સાંઢિયા પુલ નજીક આ કાળિયાર હરણના વેચાણ માટે શખસો આવેલા હતા. એ આઠે શખ્સોને જામનગર વનવિભાગ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

gujarat jamnagar