ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

09 October, 2020 11:05 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

ફાઈલ તસવીર

ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી કે ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે નહીં? રાજ્ય સરકાર ગરબા રમવાની પરવાનગી આપશે કે નહીં? આખરે આજે ગુજરાત રાજ્ય સરકારે તહેવારો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરતા આ વાતની સ્પષ્ટતા થઈ ગઈ છે. ગુજરાત સરકારે આગામી તહેવારોને લઈને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. સરકાર તરફથી નવરાત્રીના ગરબા, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે વિવિધ માર્ગદર્શન સૂચનાઓ બહાર પાડવામાં આવ્યા છે. સરકારની સૂચના પ્રમાણે નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી કે મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. જોકે, આ દરમિયાન ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. આ કાર્યક્રમ ફક્ત એક કલાક માટે જ યોજી શકાશે તેવી શરત પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત આ કાર્યક્રમ માટે તંત્રની મંજૂરી લેવી પણ આવશ્યક છે. રાજ્ય સરકારે જે સૂચનો આપ્યા છે તેનો અમલ આગામી 16મી ઓક્ટોબરથી કરવાનો રહેશે.

આ છે સરકારની ગાઇડલાઇન્સના મહત્વના મુદ્દાઓ:

નોંધનીય છે કે, રાજ્ય સરકારે જે સૂચનો આપ્યા છે તેનો અમલ આગામી 16મી ઓક્ટોબરથી કરવાનો રહેશે.

gujarat navratri diwali durga puja