02 May, 2019 12:43 PM IST | અમદાવાદ
ડી.જી. વણઝારાને મળી મોટી રાહત
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે થયેલી અરજીમાં આજે CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને CBI કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા બંનેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે એન. કે. અમીન અને ડી. જી. વણઝારા પર કેસ ચલાવવા માટે CBI કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અને આ બંને અધિકારીઓ પર કેસ ચલાવવામાં આવે કે નહીં તેની મંજૂરી માંગવામાં આવી હતી. જો કે સરકારે તેની મંજૂરી નહોતી આપી.
આ પણ વાંચોઃ ઇશરત કેસની ગુમ ફાઇલોને શોધવા પોલીસને કામે લગાડાઈ
2004થી ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ ચાલુ હતો. એ સમયે ગુજરાત પોલીસને ઉચ્ચ અધિકારીઓ ડી. જી. વણઝારા અને એન. કે. અમીન પર કેસ ચલાવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો હતો. જે બાદ આજે તેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.