મનોજ જોશી અને પરેશ રાવલે કૉંગ્રેસ નેતાઓને અપશબ્દો કહેતાં ફરિયાદ નોંધાઈ

23 April, 2019 08:49 AM IST  |  અમદાવાદ

મનોજ જોશી અને પરેશ રાવલે કૉંગ્રેસ નેતાઓને અપશબ્દો કહેતાં ફરિયાદ નોંધાઈ

મનોજ જોશી અને પરેશ રાવલ

ચૂંટણીપ્રચાર સમયે ભાજપે પોતાના પ્રચાર માટે અભિનેતા મનોજ જોશી અને પરેશ રાવલને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, બંને અભિનેતાઓએ ચૂંટણીપ્રચાર સમયે કરેલા ભાષણને લઇને કૉંગ્રેસે તેમની સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : રાજસ્થાન-ગુજરાતમાં હિટવેવની આગાહી

પરેશ રાવલે કૉંગ્રેસના નેતાઓ માટે ‘ચોરના પેટના, બાયલાઓ, નપુંસક, ડોબા અને નમાલા’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો જ્યારે મનોજ જોશીએ ‘રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નહીં પરંતુ કૉર્પોરેટર બનવાને પણ લાયક નથી’ એવું પ્રચારમાં નિવેદન આપ્યું હતું. આમ બંને અભિનેતાઓએ વાણીવિલાસ કરીને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કૉંગ્રેસે કરી છે.

manoj joshi paresh rawal Election 2019 gujarat Gujarat Congress