સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં થશે ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ

12 December, 2020 03:48 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં થશે ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ

સ્ટેચ્યુ ઑફ યુનિટી

હવે વિશ્વભરમાંથી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓને ભારતની એકતા અને અખંડિતતાના ભવ્ય વારસા વિશે જાણવાની અમૂલ્ય તક મળશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ દેશના ૫૬૨ દેશી રજવાડાઓના વિલિનિકરણથી એક અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાથી પણ વાકેફ થશે અને આ શક્ય બનશે સ્ટેચ્યુ પરિસરમાં બનાવવામાં આવનારા મ્યુઝિયમ થકી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્ટેચ્યુ પરિસરમાં એક ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમા પ્રવાસીઓ દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા અત્યાધુનિક થ્રીડી હોલોગ્રાફી ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઑડિયો-વિડિયો કન્ટ્રોલ લાઇટ સિસ્ટમના આકર્ષણ સાથે માણી શકશે.

gujarat vadodara statue of unity Vijay Rupani