રાજકોટમાં સ્વાઈનફ્લૂથી હાહાકારઃ બે દિવસમાં સ્વાઈન ફ્લૂથી પાંચનાં મોત

03 March, 2019 02:01 PM IST  |  રાજકોટ

રાજકોટમાં સ્વાઈનફ્લૂથી હાહાકારઃ બે દિવસમાં સ્વાઈન ફ્લૂથી પાંચનાં મોત

રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી પાંચનાં મોત

રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં એક દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે બેનાં મોત થયા છે. જ્યારે બે દિવસમાં મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. અત્યાર સુધીના સ્વાઈન ફ્લૂના કારણે રાજ્યમાં 99 દર્દીઓનાં મોત થયા છે. તો નવા 98 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલા આંકડાઓ પ્રમાણે શનિવારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 98 કેસ સામે આવ્યા. વર્ષ 2019માં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના 3, 210 કેસ નોંધાયા છે.

જાન્યુઆરીથી અત્યાર સુધઈમાં 2, 282 સ્વાઈન ફ્લૂના દર્દીઓ સાજા થયા છે. જ્યારે 831 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેરઃ બેનાં મોત, નવા 96 કેસો નોંધાયા

અમદાવાદમાં શનિવારે 26 નવા કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 19 અને વડોદરામાં 17 કેસ નોંધાયા. ભાવનગરમાં 6 જ્યારે આણંદ અને સાબરકાંઠામાં 4-4 કેસ નોંધાયા છે.