ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેરઃ બેનાં મોત, નવા 96 કેસો નોંધાયા
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર
રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસના કારણે મૃત્યુઆંક 93 પર પહોંચ્યો છે. વડોદરામાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોનાં મોત થયા છે. સાથે આ વર્ષે નવા 96 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસ 878 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાના પ્રમાણે સુરતમાં 19, આણંદમાં 9, વડોદરા અને મહેસાણા 8 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં પાંચ અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.
સાબરકાંઠામાં બે સ્વાઈન ફ્લૂના કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, બનાસકાંઠા ગ્રામ્ય, બોટાદ, અરવલ્લી, વલસાડમાં બે કેસ તો રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ગાંધીનગર શહેર, ભરૂચ અને પંચમહાલ અને મહીસાગરમાં એક એક કેસ નોંધાયા છે.
રાજ્યમાં ધીમે ધીમે ઠંડી તો ઘટી છે પરંતુ સ્વાઈન ફ્લૂના કેસમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે.