નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ

06 February, 2019 06:17 PM IST  | 

નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ

બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં ખેડૂતોનો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનો શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે 3500 ખેડૂતોની જમીન જઇ રહી છે. આજે ફરીથી એકવાર ગુજરાતના નવસારીમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ વિરોધમાં નારા ઉચ્ચાર્યા હતા અને જો તેમની માગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી. આ પહેલા પણ ખેડૂતો દ્વારા વિરોધ જોવા મળ્યો હતો.

બુલેટ ટ્રેનના વિરોધમાં ખેડૂત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ખેડૂતો સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં ખેડૂતો સ્વપ્ન લોક સોસાયટીથી રેલી કાઢી હતી જેમા 800થી વધુ ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો વિરોધ દર્શાવતા ક્લેક્ટર કચેરી પહોંચ્યા હતાં જ્યા તેઓ કલેક્ટર અને મામલતદારને મળ્યા હતા જ્યા તેમને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રેલીમાં ખેડૂતોએ 'જાન દેંગે પર જમીન નહિ દેંગે' ના નારા લગાવ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય આપવા રજુઆત કરી હતી. જો તેઓની આ માંગણી નહિ સંતોષાય, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીનનું નુકશાન થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતો દ્વારા જગ્યા જગ્યાએ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

narendra modi