01 April, 2020 06:07 PM IST | New Delhi | Gujarati Mid-Day Online Correspondent
ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરા બાએ પણ PM Cares ફંડમાં પોતાની અંગત મૂડીમાંથી રૂપિયા 25000નું દાન કર્યું હતું. નરેન્દ્ર મોદીનાં માતા અમદાવાદમાં બહુ જ સાદું જીવન જીવે છે તથા અત્યાર સુધી તેમણે પોતાના દીકરાના દરેક ઇનિશ્યેટિવમાં બહુ જ હોંશથી રસ લીધો છે. હીરા બાની સીધી સાદી વર્તણુંકથી તે ઘણા લોકપ્રિય છે અને તેમની પ્રત્યે લોકોને ઘણો આદર છે. હીરા બાએ પોતાની અંગત મૂડીમાંથી કરેલું આ દાન ઘણી પ્રસંશા મેળવી રહ્યું છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી તો દિલ્હી સ્થાયા ત્યાર બાદ જમ્મૂ-કાશ્મીરમાં આવેલા વિનાશક પૂર ટાણે પણ હિરાબાએ એ પોતાની તરફથી રાહત ફંડ આપ્યું હતું. વડાપ્રધાને શરૂ કરેલા PM CARES ફંડમાં દેશનાં ખૂણે ખૂણેથી ભંડોળ આવી રહ્યું છે ત્યારે હીરા બાએ પોતાના તરફથી પણ દાન આપી કોરોના વાઇરસ સામેની દેશની લડતમાં યોગદાન આપ્યું.