26 March, 2020 07:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
દેશમાં કોરોનાવાઇરસનો કૂલ આંકડો 6૪૯ એ પહોંચ્યો છે તેમ આજે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું.ગુજરાતમાં કોરોનાવાઇરસથી ત્રીજું મૃત્યુ થયું છે તેવી માહિતી આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ જયંતિ રવિએ આપી. દર્દીનું મૃત્યુ ભાવનગરમાં થુયં છે. આ પહેલાં એક મોત સુરતમાં અને એક અમદાવાદમાં થઇ ચૂક્યું છે. દેશમાં કોરોનાવાઇરસથી મૃત્યુ પામેલાઓનો આંકડો હાલમાં 16 છે. ગુજરાતમાં કોરોનાવારઇસનાં કૂલ 43 કેસિઝ નોંધાયા છે. અમદાવાદમાં 15, વડોદરામાં 7, સુરતમાં 7, ગાંધીનગરમાં 6,કચ્છમાં 1, રાજકોટ 4, ભાવનગરમાં ૧ કેસ નોંધાયો છે.