03 August, 2021 09:31 AM IST | Mumbai | Shailesh Nayak
વજુભાઈ વાળાના ઘરે વિજય રૂપાણી
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે તેમના જન્મદિને રાજકોટમાં પક્ષના વડીલ વજુભાઈ વાળાના ઘરે જઈને આશીર્વાદ લીધા હતા અને કહ્યું હતું કે ‘વજુભાઈ કદી નિવૃત્ત હોઈ જ ન શકે, જીવનભર કામ કર્યું છે.’
ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારે ગઈ કાલે પાંચ વર્ષ પૂરાં કર્યાં એની ઉજવણીના એક કાર્યક્રમમાં રાજકોટ આવેલા રૂપાણીએ પોતાના જન્મદિન નિમિત્તે વજુભાઈ વાળાને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. રૂપાણીએ આ તબક્કે વજુભાઈ માટે કહ્યું હતું કે ‘આર.એસ.એસ.ના સ્વયં સેવકથી શરૂ કરીને જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીમાં રહીને જીવનભર કામ કર્યું છે એટલે વજુભાઈ કદી નિવૃત્ત હોઈ જ ન શકે..’
વજુભાઈ વાળાએ કહ્યું હતું કે ‘વિજયભાઈ પાસે સંગઠનનો અનુભવ છે. વિજયભાઈ પરફેક્ટ કામ કરી રહ્યા છે. વિજયભાઈ મને પોતાનો જૂનો કાર્યકર્તા માની અને આજે આશીર્વાદ લેવા આવ્યા હતા.’