14 April, 2019 10:58 AM IST | રાજકોટ
રાજકોટમાં CMએ આપી બાબા સાહેબને અંજલિ
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પ હાર અર્પણ કરી અંજલિ પાઠવી. CM રૂપાણીની સાથે રાજકોટ ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
બાબા સાહેબને દેશભરમાંથી અંજલિ
રાષ્ટ્રપતિનો શ્રદ્ધાંજલિ સંદેશ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાબા સાહેબને નમન કરતા લખ્યું કે સંવિધાનના મુખ્ય વાસ્તુકાર ડૉ. આંબેડકરે આધુનિક ભારત માટે જીવનભર સંઘર્ષ કર્યો, મહિલાઓ અને નબળા વર્ગો માટે સમાન અધિકાર સુનિશ્ચિત કર્યા.
આ પણ વાંચોઃ આંબેડકર જયંતિ 2019: બંધારણના ઘડવૈયાને દેશભરમાંથી આપવામાં આવી અંજલિ
PM મોદીનો સંદેશ
વડાપ્રધાન મોદીએ બાબા સાહેબની જયંતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો. અને લખ્યું કે, 'સંવિધાનના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જયંતિ પર સાદર નમન. જય ભીમ!'