સૌરાષ્ટ્રના ધંધાર્થીઓ પર આઇટીના દરોડા

28 February, 2020 12:05 PM IST  |  Mumbai Desk

સૌરાષ્ટ્રના ધંધાર્થીઓ પર આઇટીના દરોડા

સૌરાષ્ટ્રમાં રાજકોટ, ખંભાળિયા અને મોરબીમાં આવકવેરાએ સર્વે હાથ ધર્યો છે. આ ત્રણેય શહેરમાં ડૉક્ટરો, બિલ્ડર, સિરૅમિક યુનિટ અને રિફાઇનરીના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવામાં આવી છે. સવારથી જ આવકવેરા દ્વારા તપાસ ચાલી રહી છે જેમાં મોટી કરચોરી બહાર આવે એવી સંભાવના છે. આ ત્રણેય શહેરમાં આવકવેરાની અલગ-અલગ રેન્જ અને વિન્ગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી નજીક હાઇવે પર આવેલી ઇમ્પોર્ટ-એક્સપોર્ટની પેઢીમાં કેરળની આઇટી વિભાગની ટીમે સવારથી દરોડા શરૂ કર્યા હતા.

gujarat saurashtra