જિલ્લા શિક્ષા અધિકારીનો પરિપત્ર-વેલેન્ટાઇન ડે નહીં, માતૃ-પિતૃ પૂજન દિવસ

08 February, 2020 12:54 PM IST  |  Mumbai Desk

જિલ્લા શિક્ષા અધિકારીનો પરિપત્ર-વેલેન્ટાઇન ડે નહીં, માતૃ-પિતૃ પૂજન દિવસ

શિક્ષણમાં રાજકારણીય વિચારધારાઓના હસ્તક્ષેપની ચિંતાં શિક્ષાવિદોને સતાવી રહી છે. તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આશયનો પરિપત્ર રજૂ કર્યો છે. શિક્ષણ અધિકારીએ 1500 શાળાઓને કહ્યું કે તે 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડે નહીં, પણ માતા-પિતા પૂજા દિવસ ઉજવે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશમાં કહ્યું કે વેલેન્ટાઇન ડે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે. આ પશ્ચિમની સંસ્કૃતિ પ્રમાણે ઉજવવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અધિકારીનો આ આદેશ ચર્ચાનો વિષય બનેલો છે. જિલ્લા શિક્ષા અધિકારીએ એ પણ કહ્યું કે બધી શાળાઓમાં આ રીતે માતૃપિતૃ પૂજાદિવસનું આયોજન કરીને રિપોર્ટ પણ રજૂ કરે.

બધી શાળાઓના મુખ્યાચાર્યોના નામ જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં યુવક દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઈને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. એવા સમયમાં આપણે બાળકોને બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારો આપવા જરૂરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ પ્રમાણે શાળાના મુખ્યાચાર્યોના માતૃ-પિતૃ પૂજા સમારંભની સંખ્યા તેમજ હાજર મહેમાનોની સૂચીનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

આ પણ વાંચો : બેવફા ચાય વાલાઃબ્રેક અપ થયું છે તો અહીં ચા પર મળે છે ડિસ્કાઉન્ટ

મુખ્યાચાર્યોને કહેવામાં આવ્યું છે કે તે માતૃ-પિતૃ પૂજા માટે ઓછામાં ઓછા પાંચથી 10 દંપત્તિઓને આમંત્રિત કરે. સાથે જ તે સ્થાનિક પાર્ષદો, શિક્ષાવિદોને આમંત્રિત કરે. પૂજાવિધિ માટે ચંદન, ફૂલહાર, પ્રદક્ષિણા તેમજ મોઢું મીઠું કરાવીને પૂજા કરી વિધિ સંપન્ન કરવું. આ પ્રસંગે માતા-પિતાનું મહત્વ પ્રસ્તુત કરનારા વક્તવ્ય પણ અપાવે. જિલ્લા શિક્ષા અધિકારીના આ આદેશનું જૂદું જૂદું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અને આ ચર્ચાનો વિષય પણ બનેલ છે.

valentines day surat