અમદાવાદઃમાત્ર 2 હજાર માટે મિત્રએ કરી મિત્ર હતી

24 March, 2019 02:16 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃમાત્ર 2 હજાર માટે મિત્રએ કરી મિત્ર હતી

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર 2 હજારની રકમ માટે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. બનાવ અમદાવાદના ગોમતીપુરનો છે, જ્યાં આરોપીએ તેના મિત્રએ ઉધાર લીધેલા 2 હજાર પાછા ન આપતા ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ ઘટના શુક્રવારની છે. મૃતકની ઓળખ પરેશ મોદી તરીકે થઈ છે, જે એક ફેક્ટરીમાં કામ કરતો હતો. મૃતકના ભાઈ જીતેન્દ્ર મોદીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં પરેશના મિત્ર મોહમ્મદ કરી અન્સારી નામના વ્યક્તિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે ગોમતીપુરમાં રહેતા પરેશ મોદી શુક્રવારે ઘરે આરામ કરતા હતા ત્યારે તેમને મિત્ર મોહમ્મદ કરીમ અન્સારીનો ફોન આવ્યો. અન્સારીએ પરેશને મળવા બોલાવ્યો હતો.

બાદમાં પરેશ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના કપડા પર લોહીના ડાઘ અને શરીર પર ઘા હતા. સારવાર દરમિયાન જ પરેશનું મૃત્યુ થયું. આ મામલે પરેશના મોટા ભાઈ જીતેન્દ્ર મોદીએ નોંધાવેલી ફરિયાદ પરથી મોહમ્મદ કરીમ અન્સારીની ધરપકડ પણ કરી છે. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પરેશે અન્સારી પાસેથી 2 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. કેટલાક દિવસો પહેલા મોહમ્મદે પરેશ પાસેથી પૈસા પાછા માગ્યા હતા. ત્યારે પરેશે અન્સારીને માર માર્યો હતો.

આ પણ વાંચોઃ justice4chirag મૂવમેન્ટ રંગ લાવી, ચિરાગ પટેલ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

આ મામલે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.

ahmedabad gujarat Crime News