અમદાવાદમાં કોરોનાના ૩૦ શંકાસ્પદ કેસ, એક પણ પૉઝિટિવ નહીં

15 March, 2020 11:18 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં કોરોનાના ૩૦ શંકાસ્પદ કેસ, એક પણ પૉઝિટિવ નહીં

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ હવે ગુજરાતથી દૂર નથી. અમદાવાદમાં પણ અઢળક કેસો સામે આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દરદીને હાલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધી એક પણ કેસ પૉઝિટિવ નોંધાયો નથી.

શહેરમાં અત્યાર સુધી કુલ ૩૦થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવા કેસ ધ્યાનમાં લઈને સિવિલ હૉસ્પિટલમાં દરદીઓ માટે સારવારની વધુ સુવિધા ઊભી કરવામાં આવી છે. કોરોના વાઇરસનો યથાવત્ કેર જોઈને સરકાર પણ ઍક્શનમાં આવી ગઈ છે. સિવિલ હૉસ્પિટલમાં બે શંકાસ્પદ દરદીઓ પર હાલમાં પણ સારવાર ચાલી રહી છે.

ahmedabad gujarat coronavirus