ગુજરાતમાં આજે કોવિડ-19ના 1161 કેસ નોંધાયા, 9 લોકોના મોત

17 October, 2020 07:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં આજે કોવિડ-19ના 1161 કેસ નોંધાયા, 9 લોકોના મોત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં આજે 1161 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3929 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,587 એક્ટિવ કેસ છે, જ્યારે 1,40,419 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,508 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,58,635 પર પહોંચી છે.

રાજ્યમાં આજે રાજકોટ કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,ગીર સોમનાથમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.

સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 168, રાજકોટ કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 74, સુરતમાં 68, જાનગર કોર્પોરેશનમાં 50, વડોદરામાં 42, મહેસાણામાં 41, રાજકોટમાં 37, પાટણમાં 33, ભરૂચમાં 27, જામનગરમાં 24, સાબરકાંઠામાં 24, જુનાગઢમાં 23, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, મોરબીમાં 21, અમરેલીમાં 20, સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1270 દર્દી સાજા થયા હતા અને 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 53,22,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે.

gujarat coronavirus covid19