આ હેલ્થ પ્રૉબ્લેમ્સ હોય તો ભૂલથી પણ નહીં કરતા આમળાનું સેવન, લાભને બદલે થશે હાનિ

05 December, 2022 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમળા ફાયદાથી ભરપૂર છે પણ આના નુકસાન પણ ઓછા નથી. જાણો, કોણે ન ખાવા જોઈએ આમળા.

ફાઈલ તસવીર

અનેક લોકોને આમળા (Amla) ખાવા ખૂબ જ ગમે છે. આનું સૌથી મોટું કારણ (Reason) છે કે આમળા વિટામિન સીથી (Vitamin C) ભરપૂર હોય છે આથી તમને જો ડાઈજેશન (Digestion) બહેતર બનાવવું છે, તો તમારે આમળાને ચોક્કસ ડાએટમાં (Diet) સામેલ કરવા જોઈએ. સાથે જ જો તમને સ્કિન પ્રૉબ્લેમ (Skin Problem) થઈ રહી છે, તો તમને દરરોજ એક આમળા ચોક્કસ ખાવા જોઈએ. આમળા ફાયદાથી ભરપૂર છે પણ આના નુકસાન પણ ઓછા નથી. જાણો, કોણે ન ખાવા જોઈએ આમળા.

લો બ્લડ શુગર
લો બ્લડ શુગરવાળા લોકોએ પણ આમળાથી અંતર રાખવું જોઈએ. જો તમે સતત આમળા ખાઓ છો, તો આનાથી તમારું બ્લડ શુગર લેવલ બગાડી શકે છે.

શરદી-ઉધરસ
શરદી-ઉધરસ થતા ભોજનનો સ્વાદ ઘટી જાય છે આથી કેટલાક લોકો આને મોઢાનો સ્વાદ બદલવા માટે ખાઈ લે છે જ્યારે શરદી કે ઉધરસમાં આમળા ન ખાવા જોઈએ કારણકે આમળાની તાસીર ઠંડી હોય છે આથી તમારા આમળાનું સેવન ટાળવું જોઈએ.

આ પણ વાંચો : મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા શું કરવું?

પેટમાં સોજો
જેમને કોઈને કોઈક કારણસર પેટમાં હંમેશાં સોજો રહે છે, તેમણે આમળાનું સેવન ટાળવું જોઈએ. ખાસ તો સવારના સમયે ખાલી પેટે આમળા ખાવાનું ટાળવું જોઈએ. આથી તમારા પેટનો સોજો વધી શકે છે.

આ પણ વાંચો : ગુડવાલી ચાય ખરેખર ગુડ છે?

કિડનીની બીમારી
જો તમને કિડનીની કોઈ સમસ્યા છે તો તમારે આમળા ન ખાવા જોઈએ કારણકે આમ કરવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. સોડિયમની માત્રા વધવાથી તમને અનેક હેલ્થ ઇશ્યૂઝ થઈ શકે છે. જેમ કે પેટમાં દુઃખાવો અને શરીરના નીચલા ભાગમાં દુઃખાવો થઈ શકે છે.

health tips