16 November, 2022 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમુદ મિશ્રા
કુમુદ મિશ્રાનું કહેવું છે કે ઓટીટીએ થિયેટરના ઍક્ટર્સ અને રાઇટર્સને ઘણી તક આપી છે. તેમણે સોમવારે જયપુરમાં એક લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ઓટીટીને કારણે સિનેમાને અસર પડી છે કે નહીં એ વિશે પૂછતાં કુમુદ મિશ્રાએ કહ્યું કે ‘સમય-સમયની વાત છે.
કોઈને નથી ખબર હતી કે કયા સમયે શું ટ્રેન્ડ કરશે, પરંતુ દરેકનો પોતપોતાનો ચાર્મ હોય છે. જોકે ઓટીટીએ ઘણા થિયેટર ઍક્ટર્સ અને રાઇટર્સને ચાન્સ આપ્યો છે. મને થિયેટર પણ પસંદ છે અને લાઇવ ઑડિયન્સ સામે સ્ટેજ પર હોવાની મજા અલગ જ હોય છે. થિયેટરનો કોઈ પણ દિવસ અંત નહીં થાય અને થશે પણ નહીં.’