સાકેત ચૌધરી ખૂબ શાંત ડિરેક્ટર હોવાથી ક્યારેય તેના પર ગુસ્સો આવી જાય છે : નિખિલ દ્વિવેદી

04 September, 2021 12:23 PM IST  |  Mumbau | Gujarati Mid-day Correspondent

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘અનકહી કહાનિયા’માં નિખિલ જોવા મળવાનો છે, તેના સેગમેન્ટને સાકેતે ડિરેક્ટ કર્યો છે

નિખિલ દ્વિવેદી

નિખિલ દ્વિવેદીએ જણાવ્યું છે કે સાકેત ચૌધરી સેટ પર ખૂબ શાંત રહે છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘અનકહી કહાનિયા’માં નિખિલ જોવા મળવાનો છે. તેના સેગમેન્ટને સાકેતે ડિરેક્ટ કર્યો છે. આ ઍન્થોલૉજી ૧૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ શોમાં અભિષેક બૅનરજી, રિન્કુ મહાદેવ, રાજગુરુ, ડેલઝાદ હિવાળે, કુણાલ કપૂર, ઝોયા હુસેન, પાલોમી અને નિખ‌િલ દ્વિવેદી જોવા મળશે. સેટ પર સાકેતના વર્તન વિશે નિખ‌િલ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે સાકેત વિશે અગત્યની બાબત એ છે કે તે ખૂબ સારી રીતે જાણે છે કે તેને શું જોઈએ છે અને તે ખૂબ શાંત ડિરેક્ટર છે. એક વ્યક્તિ તરીકે તે ખૂબ શાંત છે. એને કારણે ક્યારેક ખીજ પણ ચડી જાય છે. તમને હંમેશાં એમ જ લાગે છે કે તે કદી પણ કંઈ રીઍક્ટ નથી કરતો. તેઓ ત્યારે જ રીઍક્ટ કરે છે જ્યારે તેમની ઇચ્છા પ્રમાણે કામ નથી થતું. હું અને મારી સાથેના અન્ય ઍક્ટર્સ પણ તેમના મુજબ કામ કરે છે. આ જ કારણ છે કે તે ખૂબ શાંત રહે છે. કમ્પોઝ્ડ અથવા એમ કહી શકાય કે આ જ તેનો સ્વભાવ છે. એથી તેને ખરા અર્થમાં શું જોઈએ છે એ જાણ્યા વગર તેના વિશે કોઈ ગેરસમજ ન રાખી શકાય. તે શરૂઆતથી જ સ્પષ્ટ હોય છે કે તેને ઍક્ટર્સ પાસેથી કેવું કામ કરાવવું છે. તેની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહે છે.’

entertainment news Web Series web series