લૉકડાઉન બાદ ઘરમાં કેવી ઘટનાઓ ઘટી?

19 October, 2020 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન બાદ ઘરમાં કેવી ઘટનાઓ ઘટી?

એમએક્સ પ્લેયરની સિરીઝ ‘લૉકડાઉન રિશ્તે’

એક પરિણીત યુગલનું છૂટાછેડા લેવાને આરે આવવું, એક સ્વતંત્ર એકલાઅટૂલા માણસનું ૧૦ અન્ય સંબંધીઓ સાથે ભીંસમાં આવવું, એક પ્રેમાળ યુગલની ભાગી જવાની તૈયારી, એક છોકરીનું ઘરમાં બંધિયાર બની જતાં તેના ભાવિ સાસરિયે જઈને લગ્ન રદ કરવા કહેવું અને પાલતુ પ્રાણીઓ સાથે રહેતા એક માણસની વાત જેવી જુદી-જુદી વાર્તા, જે ભારતમાં ૨૪ માર્ચે એકસાથે  થયેલા લૉકડાઉન બાદ ઘટી છે, તે એમએક્સ પ્લેયરની ૨૧ ઑક્ટોબરે રિલીઝ થઈ રહેલી ‘લૉકડાઉન રિશ્તે’ વેબ-સિરીઝમાં દર્શાવાશે.

સિરીઝ પાંચ એપિસોડની આ સિરીઝની ખાસિયત એ છે કે એને લૉકડાઉન સમય દરમ્યાન ઘરમાં માત્ર મોબાઇલ ફોનથી શૂટ કરવામાં આવી છે. ‘લૉકડાઉન રિશ્તે’માં રોનિત રૉય, રોહિત રૉય, કવિતા ચૌધરી, અભિષેક કપૂર જેવા જાણીતા કલાકારોની સાથે સાથે રિત્વિક ધનજાની, સુચિત્રા પિલ્લઈ, અર્જુન પૂંજી, માનસી જોશી રૉય અને પ્રેરણા પાનવર સહિતના સ્ટાર જોવા મળશે. આ સિરીઝને અભિજિત દાસે ડિરેક્ટ કરી છે.

entertainment news web series lockdown