વેબ-સિરીઝ વિરુદ્ધ લખનઉમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં વધુ તપાસ

19 January, 2021 04:37 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ વિરુદ્ધ લખનઉમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં વધુ તપાસ

‘તાંડવ’ની ટીમ

વેબ-સિરીઝ ‘તાંડવ’ને લઈને લખનઉમાં ફરિયાદ દાખલ થતાં પોલીસની ટીમ વધુ તપાસ માટે મુંબઈ રવાના થઈ ગઈ છે. લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવતાં 4 પોલીસ-અધિકારીઓ મુંબઈ આવ્યા છે. તેઓ વેબ-સિરીઝના પ્રોડ્યુસર અને ડિરેક્ટરની સાથે જ કલાકારોની પણ આ મામલામાં પૂછપરછ કરશે. મિર્ઝાપુરમાં પણ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. આ વેબ-સિરીઝના માધ્યમથી હિન્દુઓની ભાવનાને આહત પહોંચી છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ પણ આ વેબ-સિરીઝને લઈને એ વાંધાજનક દૃશ્યોને હટાવવાની માગણી કરી છે જેથી દેશમાં જે અશાંતિ અને આક્રોશ ફેલાયાં છે એ થંભી જાય.

entertainment news web series