આશ્રમથી મારામાં નવી આશાનું નિર્માણ થયું છે: ચંદન રૉય સાન્યાલ

03 January, 2021 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશ્રમથી મારામાં નવી આશાનું નિર્માણ થયું છે: ચંદન રૉય સાન્યાલ

ચંદન રૉય સાન્યાલ

ચંદન રૉય સાન્યાલનું કહેવું છે કે વેબ-સિરીઝ ‘આશ્રમ’ને કારણે મારામાં નવી આશાનું નિર્માણ થયું છે. આ સિરીઝમાં ભોપા સ્વામીના પાત્રમાં ચંદન જોવા મળ્યો હતો. પ્રકાશ ઝાની આ વેબ-સિરીઝમાં બૉબી દેઓલ પણ જોવા મળ્યો હતો. પ્રકાશ ઝા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ચંદને કૅપ્શન આપી હતી કે ‘આ મારો ૨૦૨૦નો ફોટો છે. ‘આશ્રમ’ના શૂટનો છેલ્લો દિવસ હતો અને મારો બર્થ-ડે પણ હતો. આ વ્યક્તિએ મને ખૂબ જ સરસ એવી ગિફ્ટ આપી છે, જે આજીવન મને યાદ રહેશે. આ અજેય ભોપા સાથે હું એક દાયકાનો અંત કરું છું. આ સિરીઝને કારણે મને આશા, ફરીથી શરૂઆત કરવાની અને જીતવાનું સામર્થ્ય મળ્યું છે. એ બદલ મિસ્ટર ઝાનો આભાર માનું છું. તેઓ એક અદ્દભુત ફિલ્મમેકર અને વિઝનરી છે. હું ઘણું બધું શીખ્યો અને ઘણું બધું ભુલ્યો પણ. તમે જેમ મને કહ્યું હતું એ જ રીતે નમ્ર બની ૨૦૨૧માં પ્રવેશ કરી રહ્યો છું. આ નવા દાયકાનો સફર પાગલપંતીથી ભરેલો રહેશે. હું એને અનુભવી રહ્યો છું. આગળ વધવા માટે ઉત્સાહી છું. કંઈક હટકે સિનેમા બનાવો અને ગર્જના કરીએ. હીપ હીપ હુર્રે. સૌને નવા દાયકાની શુભેચ્છા. લાંબું આયુષ્ય થાય. હું પાછો આવીશ.’

entertainment news web series