‘જમતારા’ના શૂટિંગ અને રિલીઝ વચ્ચેનાં ત્રણ વર્ષ મુશ્કેલ રહ્યાં: અંશુમન પુષ્કર

18 June, 2021 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાઠમાંડુ કનેક્શનમાં પણ દેખાયેલો ઍક્ટર જમતારા 2માં જોવા મળશે

અંશુમન પુષ્કર

સાઇબર ક્રાઇમનું હબ ગણાતા ઝારખંડના શહેર ‘જમતારા’ પર આધારિત નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘જામતાડા - સબકા નંબર આએગા’ની બીજી સીઝન આવવાની છે. આ શોમાં અમિત સિયાલ, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, અક્ષા પરદાસાની, અંશુમન પુષ્કર વગેરે કલાકારો છે. અંશુમન પુષ્કર ‘જમતારા’માં ‘રૉકી’ના રોલથી જાણીતો બન્યો છે અને બીજી સીઝનમાં પણ તેનો રોલ યથાવત્ રાખવામાં આવશે. તેણે કહ્યું હતું કે મેં ૨૦૧૭માં જમતારા માટે ઑડિશન આપ્યું હતું, પણ એને રિલીઝ થતા ત્રણ વર્ષ લાગ્યાં હતાં. એ વર્ષો મારા માટે અઘરાં રહ્યાં હતાં. સારું થયું મેં એ દરમ્યાન કંટાળીને મારી લાઇન ચેન્જ ન કરી નાખી. ફાઇનલી ગયા વર્ષે જામતાડા રિલીઝ થઈ અને મારા માટે રસ્તા ખૂલ્યા. આ દરમ્યાન જેમને હું મેન્ટર માનું છું તે અમિત સિઆલ મને પ્રોત્સાહન આપતા રહ્યા હતા.’

 ‘જમતારા’ રિલીઝ થયા બાદ દર્શકોમાં આ સિરીઝ રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી. અંશુમન પુષ્કરે ‘જમતારા’ ઉપરાંત ‘ગ્રહણ’, ‘કાઠમાંડુ કનેક્શન’ જેવી વેબ-સિરીઝ પણ કરી છે. અંશુમન ઉપરાંત એનએસડી વેટરન તેમ જ ‘કમીને’, ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ ફેમ હરીશ ખન્ના પણ બીજી સીઝનમાં જોવા મળશે.

entertainment news Web Series web series