ઝિંદગી કી મહેકનાં શૌર્ય અને મહેક ખન્ના પાછાં આવી રહ્યાં છે

15 January, 2020 03:12 PM IST  |  Ahmedabad

ઝિંદગી કી મહેકનાં શૌર્ય અને મહેક ખન્ના પાછાં આવી રહ્યાં છે

ઓવર ધ ટૉપ પ્લૅટફૉર્મ તરફ લોકોના વધી રહેલા ઝોકને કારણે હવે ટેલિવિઝન સિરિયલોના જોનર જેવી જ સિરીઝ પણ બનવા માંડી છે. Alt બાલાજી અને ઝીફાઇવ જેવા ડિજિટલ પ્લૅટફૉર્મ્સ એમાં મોખરે છે. Alt બાલાજી પર શરમન જોશીની ‘બારીશ’ તથા શ્વેતા તિવારીની ‘હમ તુમ ઔર ધેમ’ એનાં લેટેસ્ટ ઉદાહરણ છે.

હવે ઝીફાઇવ પર ઝી ટીવીના શો ‘ઝિંદગી કી મહેક’ના સ્પિન-ઑફની તૈયારી થઈ રહી છે. અગાઉ૨૦૧૬થી ૨૦૧૮ દરમ્યાન ઝી ટીવી પર રજૂ થયેલો ડ્રામા-શો ‘ઝિંદગી કી મહેક’ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર જોવા મળશે. એમાં કહેવાઈ રહ્યું છે કે કરણ વોહરા અને સમીક્ષા જૈસવાલની જાણીતી જોડીને એ માટે ફરી કાસ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝી ટીવી પર આવતી ‘ઝિંદગી કી મહેક’માં પણ મહેક ખન્ના તથા શૌર્ય ખન્ના તરીકે આ બન્ને જ હતાં. આ ઉપરાંત રાધા ભટ્ટ, આઇયા સિંહ, સોનમ શ્રીવાસ્તવ, મહેશ બિસ્ત સહિતનાં કલાકારો હતાં.

આ અગાઉ ઝી ટીવીના જાણીતા શો ‘જમાઈરાજા’નું ‘જમાઈરાજા 2.0’ના નામે સીક્વલ આવી ચૂકી છે જે ઝીના વેબ-પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર સ્ટ્રીમ થયું હતું. એ જ રીતે ‘ઝિંદગી કી મહેક’ આ વર્ષે એપ્રિલ સુધીમાં આવી જશે એવું કહેવાઈ રહ્યું છે.

ahmedabad television news