વાંચો રામાયણમાં 'રામ'નાં 2 પ્રિય પાત્રો કોણ છે? જાણીને ચોંકી જશો

04 May, 2020 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાંચો રામાયણમાં 'રામ'નાં 2 પ્રિય પાત્રો કોણ છે? જાણીને ચોંકી જશો

રામના રોલમાં અરૂણ ગોવિલ

રામાનંદ સાગરની 'રામાયણ' સીરિયલે લૉકડાઉનમાં દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને ઉત્તર રામાયણનો અંતિમ એપિસોડ શનિવારે જ પ્રસારિત કરવામાં આવ્યો હતો. સાથે જ લવ-કુશના જીવનની આ વાર્તા લોકોને ઘણી પસંદ આવી છે. આ સમયે ટ્વિટર પર સતત ઉત્તર રામાયણ ટ્રેન્ડ કરી રહ્યું છે. શૉમાં રામનું પાત્ર ભજવનારા એક્ટર અરૂણ ગોવિલે જ્યારે ટ્વિટર પર #AskArunનું આયોજન કર્યું છે, ત્યારે ફૅન્સ પાસે સવાલોની લાંબી લિસ્ટ જોવા મળી રહી હતી. બધા સવાલો વચ્ચે એક સવાલ એવો પણ હતો કે રામાયણમાં અરૂણ ગોવિલના ફેવરિટ પાત્રો કોણ છે?

સ્વાભાવિક છે કે રામ તો બધાના પ્રિય પાત્ર છે પરંતુ દરેકને જાણવાની ઈચ્છા છે કે ટીવી પર રામનો ફેવરિટ પાત્ર કોણ છે, આ સવાલનો જવાબ જાણવા ફૅન્સ ઘણા ઉત્સુક છે. અરુણ ગોવિલે તેમના ચાહકોની જિજ્ઞાસાને શાંત પાડતા કહ્યું કે 'રાવણ' અને 'હનુમાન' તેના પ્રિય પાત્રો છે. સ્વાભાવિક રીતે, ચાહકો માટે તે થોડું આઘાતજનક હતું કે રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલને રાવણ પસંદ છે. જણાવી દઈએ કે દર્શકોને રામાયણનો છેલ્લો એપિસોડ ખૂબ પસંદ આવ્યો હતો.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

અંતિમ એપિસોડમાં, લવ-કુશ દ્વારા રામ કથા સંભળાવ્યા પછી સીતા માતાને રામ દરબારમાં બોલાવવામાં આવી. જ્યાં સીતા માતાએ તેમના બન્ને પુત્રોને ભગવાન રામને સોંપીને પોતે ધરતીમાં સમાય જાય છે. ઉત્તર રામાયણ લોકોને ઘણી ગમી હતી. સીતા માતાના ધરતીમાં સમાય જનારા દ્રશ્યોએ ચાહકોને ભાવનાત્મક બનાવી દીધા હતા. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું- આ દ્રશ્ય જોઈને દરેકના આંખમાંથી આસુ આવી ગયા.

television news ramayan tv show entertainment news