યે રિશ્તા...માં નવું ટ્વિસ્ટ, શૉમાં હસે આ એક્ટરની એન્ટ્રી

09 November, 2019 05:26 PM IST  |  Mumbai Desk

યે રિશ્તા...માં નવું ટ્વિસ્ટ, શૉમાં હસે આ એક્ટરની એન્ટ્રી

ટીવીનો સૌથી પૉપ્યુલર શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા કેટલાક વર્ષોથી દર્શકોને એન્ટરટેઇન કરે છે. ટીઆરપી મામલે શૉએ કેટલાય વર્ષોથી ટૉપમાં પોતાનીમાં પોતાની જગ્યા બનાવી રાખી છે. શૉમાં નવા-નવા ટ્વિસ્ટ અને કાર્તિક-નાયરા વચ્ચનો પ્રેમ, કેમિસ્ટ્રી અને ખાટી મિઠી લડાઇ ચાહકોને ખૂબ જ ગમે છે. શૉમાં હાલ કાર્તિક, નાયરા અને તેમના દીકરા કાયરવ પર સૌથી વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. પણ હવે ટૂંક સમયમાં જ શૉમાં એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે.

Tellychakkarની રિપોર્ટ પ્રમાણે યે રિશ્તા શૉમાં ટૂંક સમયમાં જ એક નવું પાત્ર દર્શાવવામાં આવશે. આ નવા પાત્રને ટીવી એક્ટર નીરજ માલવીય ભજવતો જોવા મળશે. નીરજ છેલ્લે સ્ટાર પ્લસના શૉ 'મેરે અંગને મેં' લીડ રોલ પ્લે કરતો જોવા મળ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે, યે રિશ્તા શૉમાં નીરજ નેગેટિવ રોલ પ્લે કરતો જોવા મળશે અને તેનું કેરેક્ટર વેદિકાના ભૂતકાળ સાથે જોડાયેલું હશે. તેની સાથે જ શૉમાં પંખુડીનું પણ કમબૅક થશે.

જણાવીએ કે તાજેતરમાં જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શૉના પ્રૉડ્યૂસર રાજન શાહીની સોશિયલ મીડિયા પોસ્ટે દર્શકોમાં શૉને લઈને ખૂબ જ બઝ બનાવી દીધો છે. હકીકતે રાજન શાહીએ પોતાની પોસ્ટ દ્વારા શૉમાં ફેબ્રુઆરી 2020માં આવતી સૌથી મોટી લીપ વિશે જણાવ્યું. લીપ વિશે જાણ્યાં પછી ચાહકો ખૂબ જ નારાઝ છે. ચાહકોનું માનવું છે કે શૉમાં જો જનરેશન લીપ આવે તો કાર્તિક નાયરા શૉમાંથી બહાર થઈ શકે છે. તેથી ચાહકો ખુશ નથી. ચાહકો લીડ રોલમાં કાર્તિક અને નાયરાને જ જોવા માગે છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

રાજન શાહીએ પોસ્ટમાં શું લખ્યું હતું?
રાજન શાહીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે 2020માં સૌથી મોટા શૉમાં અત્યાર સુધીનું સૌથી મોટું લીપ આવવાનું છે. "કોઈપણ શૉથી મોટું નથી. એક બોલ્ડ ડિસીઝન લેવાનો સમય આવી ગયો છે. હવે ફેબ્રુઆરી, 2020થી ફ્રેશ ટીમ સાથે શૉ આગળ વધશે. હું મારી જૂની ભૂલો બીજીવાર નથી કરવા માગતો. કેમેરા પાછળની નવી ટીમને ફેબ્રુઆરીમાં થનારી નવી શરૂઆત માટે બેસ્ટ ઑફ લક. મારી ફેવરીટ જોડીની નવી પેઢી..."

yeh rishta kya kehlata hai television news star plus