મોહનીશ બહલ અને રોહિત રૉયે સંજીવની છોડી

16 January, 2020 02:00 PM IST  |  New Delhi

મોહનીશ બહલ અને રોહિત રૉયે સંજીવની છોડી

મોહનીશ બહલ અને રોહિત રૉય

‘સંજીવની’માંથી મોહનીશ બહલ અને રોહિત રૉયની બાદબાકી થઈ છે. આ શોમાં ડૉક્ટર શશાંક ગુપ્તાનું પાત્ર ભજવતાં મોહનીશનું ઍક્સિડન્ટમાં નિધન થાય છે. તો સાથે જ રોહિત રૉયે પણ આ શોને અલવિદા કહી દીધુ છે. આ શોને આગળ વધારવા માટે મેકર્સ હવે એમાં નવા ઍડિશનનો ઉમેરો કરી શકે છે. સ્ટાર પ્લસ પર આવતા ‘સંજીવની’એ હાલમાં જ ૧૦૦ એપિસોડ્સ પૂરા કર્યા છે. મોહનીશ વિશે આ શોનાં ક્રિએટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘હું શોનાં દરેક પાત્રોને ન્યાય આપવામાં વિશ્વાસ ધરાવુ છું અને ડૉક્ટર શશાંકનાં પાત્રને વધારવામાં આવે એ મને યોગ્ય નહોતું લાગતું. એક ટીમ તરીકે મને એમ લાગ્યું કે તેમનાં કૅરૅક્ટરને નાહક ખેંચવામાં આવે છે તો એથી શોમાં ઇન્ટરેસ્ટિંગ કંઇ દેખાતું નહોતું. મોહનીશ અમારી ફૅમિલીનો એક ફ્રેન્ડ છે. અમારી વચ્ચે હંમેશાં એક પારદર્શિકતા રહી છે. તે અમને બરાબર સમજે છે. સાથે જ એનો સકારાત્મક ભાવ સાથે તેણે સ્વીકાર પણ કર્યો. તેમનાં જેવા સિનીયર ઍક્ટરને માત્ર થોડાં ઘણાં દૃશ્યો માટે કામ કરાવવુ અને એમાં પણ તેમની કોઇ ખાસ ભૂમિકા ના હોય તો એ ખરેખર અયોગ્ય કહેવાય.’

આ પણ વાંચો : કુરબાન હુઆમાં જોવા મળશે કરણ જોટવાણી

આ શોની સ્ટોરી ત્રણ વર્ષનો જમ્પ લઈ રહી છે. રોહિત રૉય વિશે જણાવતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘અમે હજી સુધી એવી સ્ટોરી પર કામ કરી રહ્યા છીએ કે જેનાં માધ્યમથી અમે નવા લોકોને લાવી શકીએ.’

rohit roy television news tv show