કુરબાન હુઆમાં જોવા મળશે કરણ જોટવાણી
કરણ જોટવાણી
ઝીટીવીના આગામી શો ‘કુરબાન હુઆ’માં કરણ જોટવાણીને પસંદ કરવામાં આવ્યો છે. કરણે અગાઉ ‘આપ કે આ જાને સે’માં લીડ રોલ ભજવ્યો હતો અને ‘કુમકુમ ભાગ્ય’માં પણ તે નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. ‘કુરબાન હુઆ’માં તેને નિલના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો છે. નિલ તેની બહેનના મૃત્યુનો બદલો લેવા ઇચ્છતો હોય છે. બીજી તરફ તેની બહેનના મૃત્યુમાં ચાહત(આ પાત્ર માટે એક નવોદિત અભિનેત્રીને પસંદ કરવામાં આવશે.)ના અબ્બુનું નામ આવ્યુ હોય છે. ચાહતને વિશ્વાસ છે કે આ મૃત્યુમાં તેના અબ્બુનો કોઈ હાથ નથી અને એથી જ તે તેમને નિદોર્ષ સાબીત કરવા માટે મરણીયો પ્રયાસ કરી રહી હોય છે. બન્ને તેમના પરિવારના પ્રેમ અને ગર્વ માટે કેટલી હદ સુધી જઈ શકે એ આ શોમાં જોવું રહ્યું.
આ પણ વાંચો : રિતુ નંદા એક આદર્શ સાસુ હતાં : અમિતાભ બચ્ચન
ADVERTISEMENT
આ વિશે કરણ કહે છે કે ‘ઝી ટીવીના શો ‘આપ કે આ જાને સે’ બાદ ફરી તેમની સાથે કામ કરવાની મને ખુશી છે. આ શોની સ્ટોરી યુનિક હોવાથી જ નહીં, પરંતુ મારું પાત્ર ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ચૅલેન્જિંગ હોવાથી પણ મેં આ પાત્રને પસંદ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ તેમના ફૅમિલી માટેના પ્રેમ અને ગર્વ માટે જે હદ સુધી જઈ શકે છે એના પર આ સ્ટોરી છે. આ શોનું કામ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મારા ચાહકો મને આ પાત્રમાં પસંદ કરે અને પ્રેમ વરસાવે એવી આશા રાખું છું.’