26 February, 2021 01:59 PM IST | Rajkot | Mumbai correspondent
બાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
કલર્સ ચૅનલ પર શરૂ થયેલી સિરિયલ ‘બાવરા દિલ’ના મેઇન વિલન સરકારનું કૅરૅક્ટર ધૈર્ય ઘોલપ કરે છે. આ કૅરૅક્ટર એવું છે જે પોતાની જીત માટે આગળ-પાછળનો કે ઉપર-નીચેનો વિચાર સુધ્ધાં નથી કરતું. ધૈર્ય કહે છે, ‘આ કૅરૅક્ટરને ‘તાનાજી - ધી અનસંગ વૉરિયર’ના ઉદયભાણ સિંહના કૅરૅક્ટર જેવું બનાવવામાં આવ્યું છે. એ ક્રૂર છે, આક્રમક છે અને એ પછી પણ એકદમ શાંત છે. તે જરા પણ ઉશ્કેરાતો નથી કે જરા પણ ઉતાવળ નથી કરતો. તે પોતાનું કામ એકદમ શાંતચિત્તે કરે છે અને પોતાના રસ્તામાં જે કોઈ આવે એને હટાવી દે છે. ઉદયભાણ સિંહ પણ એવું જ કૅરૅક્ટર હતું જે પોતાનું ધાર્યું કરવા કોઈની પણ શરમ નહોતો રાખતો.’
મજાની વાત એ છે કે ધૈર્ય પણ સૈફ અલી ખાન સાથે ‘તાનાજી - ધી અનસંગ વૉરિયર’માં હતો. ફિલ્મમાં તે તાનાજીનો રાઇટ હૅન્ડ હતો, જે સૈફ અલી ખાન એટલે કે ઉદયના હાથે શહીદ થાય છે.