હું ઍક્ટિંગમાં સોનાલી બેન્દ્રેને કારણે આવી હતી: નિકી શર્મા

23 October, 2020 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ઍક્ટિંગમાં સોનાલી બેન્દ્રેને કારણે આવી હતી: નિકી શર્મા

નિકી શર્મા

સોનાલી બેન્દ્રેને કારણે ઍક્ટિંગમાં આવી હતી નિકી શર્મા. ઝીટીવી પર આવી રહેલા ‘બ્રહ્મરક્ષક 2’માં પર્લ વી. પુરીની સાથે નિકી શર્મા પણ જોવા મળશે. આ શો દ્વારા તે પહેલી વાર લીડ રોલમાં જોવા મળશે. ઍક્ટિંગમાં એન્ટ્રી કરવા માટે તેને સોનાલી બેન્દ્રે પાસેથી પ્રેરણા મળી હતી. આ વિશે વાત કરતાં નિકીએ કહ્યું હતું કે ‘મેં મારી જર્નીની શરૂઆત કરી હતી ત્યારે હું ખૂબ જ યુવાન હતી. એક ટૅલન્ટ શોમાં ભાગ લઈને મેં શરૂઆત કરી હતી, જેમાં સોનાલી મૅમ જજ હતી. આ કૉમ્પિટિશનમાં હું ઘણે દૂર સુધી ગઈ હતી. હું એલિમિનેટ થઈ અને હું શો છોડું એ પહેલાં સોનાલી મૅમ મને મળ્યાં હતાં. તેમણે મને કહ્યું હતું કે મારે ટીવીમાં ટ્રાય કરવી જોઈએ. મેં તેમની ઍડ્વાઇઝ માની હતી અને કોશિશ શરૂ કરી હતી. શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ મને શીખવા ઘણું મળ્યું હતું. જુદા-જુદા રોલ ભજવ્યા બાદ હું ઘણું શીખી હતી. તેમણે મને ઍક્ટિંગમાં એન્ટ્રી કરવા માટે મનાવી હતી અને તેમની ઍડ્વાઇઝ વગર હું આજે અહીં ન હોત.’

entertainment news indian television television news tv show sonali bendre