'ગુત્થી' અને 'સપના' બન્નેમાંથી કોણ છે વધુ લોકપ્રિય, જાણો કૃષ્ણાનો મત

03 September, 2019 07:07 PM IST  |  મુંબઈ ડેસ્ક

'ગુત્થી' અને 'સપના' બન્નેમાંથી કોણ છે વધુ લોકપ્રિય, જાણો કૃષ્ણાનો મત

સપના અને ગુત્થીના પાત્રમાં કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર

ધ કપિલ શર્મા શોમાં સપનાનું પાત્ર ભજવતાં અભિનેતા કૃષ્ણા અભિષેકે એક મોટો દાવો કર્યો છે. કૃષ્ણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેના સપનાના પાત્રને કારણે લોકો ગુત્થીને ભૂલી ચૂક્યા છે, જેને ક્યારેક સુનીલ ગ્રોવર ભજવતા હતા.

પિન્ક વિલા પ્રમાણે ઝૂમ ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ કહ્યું હતું કે જ્યારથી તેણે કપિલના શોમાં સપનાનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું છે. ત્યારથી દર્શકો સુનીલ ગ્રોવરના પાત્ર ગુત્થીને ભૂલવા લાગ્યા છે. સુનીલ એક સારો કલાકાર છે, પણ સપના સાથે તે (કૃષ્ણા) પોતાની કૉમેડી અને હ્યૂમરનો એક જુદો જ અંદાજ લઈને આવ્યો છે. આ બન્ને પાત્રોની તુલના ન થઈ શકે. કૃષ્ણાએ કહ્યું કે કોઈ સુનીલની ગેરહાજરીની વાત નથી કરતા. શરૂઆતમાં તેને યાદ કરવામાં આવતું હતું, પણ હવે બધાં આગળ વધી ગયા છે.

કૉમેડી નાઈટ્સ વિથ કપિલમાં સુનીલ ગ્રોવર ગુત્થીનું પાત્ર ભજવતો હતો, જે ખૂબ જ લોકપ્રિય થયો હતો. ત્યાર બાદ ધ કપિલ શર્મા શોમાં પણ સુનીલે ડૉ. મશહૂર ગુલાટી અને રિંકૂ દેવીના પાત્રો ભજવ્યા હતા. જે ગુત્થીની જેમ જ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.

આ પણ વાંચો : Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન

પણ સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે થયેલી લડાઇ પછી બધું જ બદલાઇ ગયું. સુનીલે કપિલના શોમાંથી પોતાને અલગ કરી દીધા. જો કે, હવે આ વાત જૂની થઈ ગઈ છે. કપિલ અને સુનીલ, બન્ને પોતપોતાના કરિઅરમાં આગળ વધી ચૂક્યા છે. સુનીલ આ વર્ષે સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળ્યો હતો. સુનીલે ભારત બનેલા સલમાનના ખાસ મિત્ર વિલાયતીની ભૂમિકા ભજવી હતી.

krushna abhishek sunil grover the kapil sharma show television news