TMKOC:રીટા રિપોર્ટર પતિને છોડીને `પોપટલાલ` સાથે બીજા લગ્ન કરશે? શું છે ટ્વિસ્ટ

16 February, 2023 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભનેત્રીને તેના અને પોપટલાલના લગ્ન વિશે ચાહકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતો, જેના જવાબમાં તેણીએ કહ્યું કે...

તસવીર: સૌ.ઈન્સ્ટાગ્રામ

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`  (Taarak Mehta Ka ooltah Chashmah)દર્શકોના પ્રિય શોમાંથી એક છે. આ જ કારણ છે કે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા (Priya Ahuja), જે શોમાં રીટા રિપોર્ટરનો રોલ કરે છે, તે તાજેતરમાં ચર્ચામાં છે. ખરેખર, `તારક મહેતા`ની રીટા રિપોર્ટરને તેના અને પોપટલાલના લગ્ન વિશે ચાહકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેનો તેણે ખૂબ જ ફની જવાબ આપ્યો હતો જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ પ્રિયા આહુજાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન રાખ્યું હતું, જેમાં ચાહકોએ તેને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, આ સવાલો વચ્ચે એક એવો સવાલ પણ હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક ચાહકે રીટા રિપોર્ટરને પૂછ્યું, `જો તમે TMKOCમાં પોપટલાલ સાથે લગ્ન કરી લો તો તમારી પ્રતિક્રિયા શું હશે?` રીટાએ આ જવાબનો ખૂબ જ રમુજી જવાબ આપ્યો, તેણે કહ્યું કે `કેન્સલ, કેન્સલ, કેન્સલ.` નોંધનીય છે કે શોમાં પોપટલાલે હજી લગ્ન કર્યા નથી, પરંતુ તેમના લગ્ન હંમેશા ચાહકોમાં ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે રીટાએ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના પૂર્વ નિર્દેશક માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીને એક પુત્રી પણ છે. જેનું નામ અરદાસ છે. શોના શૂટિંગ દરમિયાન પ્રિયા અને માલવ નજીક આવ્યા અને 2011 માં લગ્ન કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો:Video: આ કામમાં વ્યસ્ત છે દિશા વાકાણી, અસિત મોદીએ દયાબેનની એન્ટ્રી પર આપી હિન્ટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં SAB ટીવી પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. 2008માં શરૂ થયેલી આ સિરિયલે TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. દિશા વાકાણી ઉર્ફે દયાબેન ઘણા સમયથી સિરિયલમાંથી ગાયબ હતી. અભિનેત્રીએ તેની પ્રેગ્નેન્સી બાદ શોમાંથી બ્રેક લીધો હતો અને તે હજુ સુધી પાછી આવી નથી પરંતુ એવું કહેવાય છે કે તે ટૂંક સમયમાં જ તેનું પુનરાગમન કરશે, હજુ કંઈ નક્કી થયું નથી. તે જોવાનું રસપ્રદ રહેશે કે હવે દિશા વાકાણીનું સ્થાન કોણ લે છે કે પછી નિર્માતાઓ આખરે ઓજી દયાબેનને પરત ફરવા માટે મનાવી શકશે? ઉપરાંત, TMKOC ના નિર્માતા અસિત કુમાર મોદીએ નવા ટપુ અંગે પણ જાહેરાત કરી દીધી છે. 

television news taarak mehta ka ooltah chashmah entertainment news