'તારક મહેતા...'ના આ બે પાત્ર સતત ચર્ચામાં, પણ આજ સુધી શૉમાં નથી દેખાયા

02 August, 2020 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'તારક મહેતા...'ના આ બે પાત્ર સતત ચર્ચામાં, પણ આજ સુધી શૉમાં નથી દેખાયા

દયાબેન

હાલ ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા ચર્ચાનો વિષય બની ગયા છે. બે દિવસ એવા પણ સમાચાર મળ્યા છે શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહ અને અંજલી તારક મહેતાનો રોલ ભજવી રહેલી નેહા મહેતાએ આ શૉને બાય-બાય કહી દીધું છે. તારક મહેતા શૉના ફૅન્સ આ વાતથી ખુશ છે કે શૉનું પ્રસારણ ફરી એક થઈ ગયું છે અને હાલ તેઓ નવા એપિસોડ્સનો આનંદ માણી રહ્યા છે. શૉમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ એકવાર ફરીથી ટીઆરપીમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. લૉકડાઉન બાદ નવા એપિસોડ્સની દર્શકોની રાહ હતી અને મેકર્સે શૂટિંગ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે 28 જૂલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પણ પૂરા થઈ ગયા છે. હાલ શૉએ 13 વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. એવામાં શૉના પાત્રો, શૉની વાર્તા, નવા એપિસોડ્સ સતત ચર્ચમાં રહ્યા છે. આજે અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એવા બે પાત્ર વિશે વાત કરીશું જે શૉમાં ક્યારે પણ નજર આવ્યા નથી, પણ તેઓ સતત ચર્ચામાં રહ્યા છે.

એવામાં પહેલું પાત્ર છે દયાબેનની માતાનો. શૉના મોટાભાગના એપિસોડમાં દયાબેન પોતાની માતાનો ઉલ્લેખ કરતા રહે છે, ફોન પર વાત કરવી હોય કે ટિપ્સ લેવાની હોય, દયાબેન હંમેશા પોતાની માતા સાથે વાત કરતા રહે છે અને માતાનો ઉલ્લેખ કરતી રહે છે.

આ પણ વાંચો : શું બિગ-બૉસ 14માં જોવા મળશે તારક મહેતાની આ એક્ટ્રેસ, જાણો શું છે હકીકત

ખાસ કરીને જેઠાલાલનું નવું-નવું નામકરણ દયાબેનની માતા જ કરતી હોય છે. દયાબેન તેની માતાને કોઈ પણ સમસ્યા કે સમસ્યાના સમાધાન માટે ફોન કરે છે અને એમને સમાધાન પણ મળી જાય છે. ફક્ત જેઠાલાલની ફૅમિલી જ નહીં પરંતુ સોસાયટીના બાકી પરિવારમાં પણ દયાબેનની માતાનો ઉલ્લેખ થતો રહે છે. પણ આટલા ઉલ્લેખના બાદ પણ આજ સુધી મેકર્સ દયાબેનની માતાને ક્યારે પણ શૉમાં બતાવી નથી. ઘણી વાર ઉલ્લેખ થયો છે પરંતુ દયાબેનની માતા ક્યારે પણ સ્ક્રીન સામે આવી નથી.

આ પણ વાંચો : હસવા થઈ જાઓ તૈયાર, તારક મહેતા શૉમાં પાછી ફરી શકે છે આ એક્ટ્રેસ, જુઓ કોણ છે

થોડા વર્ષો પહેલા દયાબેનની માતાને શૉમાં લાગવવાની તૈયારી કરી હતી. પ્લૉટ પણ પૂરી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમને સન્માનના બહાને શૉમાં બોલાવવાની યોજના હતી. પરંતુ અંતિમ ક્ષણે દયાબેનનો ભાઈ સુંદરલાલ તેની માતાની જગ્યાએ સન્માન લેવા સ્ટેજ પર પહોંચી જાય છે. એટલે આજ સુધી દયાબેનની માતાને શૉમાં દેખાડી નથી, તો પણ તે બહુ જ ફૅમસ છે.

આ પણ વાંચો : TMKOC: શૉના એન્ગ્રીમેન 'રોશન સિંહ સોઢી'એ છોડ્યો શૉ, આ સ્ટારને ઑફર થયો રોલ

તેવી જ રીતે, બીજા પાત્રની હજી પણ નવી એપિસોડમાં ખૂબ ચર્ચા કરવામાં આવી છે, જેના માટે ઇન્સ્પેક્ટર ચાલૂ પાન્ડે ટીવી ખરીદી રહ્યા છે. હા, ચાલૂ પાન્ડેની પત્ની બાસુંદી. આ શૉમાં ચાલૂ પાન્ડે બાસુંદીનો ઉલ્લેખ કરતા વારંવાર જોવા મળ્યા છે. વાતચીત દરમિયાન ચાલૂ પાન્ડેને ઘણીવાર બાસુંદીનો ફોન પણ આવે છે. પાન્ડે સર બાસુંદીને ઘણા વચનો પણ આપે છે, એટલા જ તોડે પણ છે. સાથે જ સજા પણ ભોગવે છે. પણ એકવાર પણ અત્યાર સુધી બાસુંદીને સ્ક્રીન સામે દેખાડી નથી, હંમેશા એમનો ઉલ્લેખ થયો રહ્યો, તેમ જ બાસુંદીનો રોલ ઘણો ફૅમસ છે.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news