દયા વિનાની નવરાત્રી અને માને દયા રાખવાની વિનંતી

27 October, 2020 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દયા વિનાની નવરાત્રી અને માને દયા રાખવાની વિનંતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વર્ષે પણ નવરાત્રી સેલિબ્રેશન રાખવામાં આવ્યું

સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વર્ષે પણ નવરાત્રી સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે. આ વીકથી શરૂ થનારા આ સેલિબ્રેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે નવરાત્રીમાં આ વર્ષે માતાજી પાસેથી બીજું કશું નહીં પણ કોરોનાથી મૂક્તિ આપવાની અને વહેલામાં વહેલી તક પૃથ્વીને ફરીથી નોર્મલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ અગાઉ ગણેશમહોત્સવ સમયે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીમ તરફથી આ જ માંગ કરવામાં આવી હતી, એ સમયે જેઠાલાલે પીપીઇ સૂટમાં ઓડિયન્સ સામે આવીને વગર કારણે ઘરની બહાર નહીં નીકળવાની વિનંતી કરી હતી.

આ વર્ષની નવરાત્રીમાં દયાબહેન ફરી પાછાં આવશે એવી અફવા ચાલી હતી, જેનું પણ નવરાત્રી સેલિબ્રેશન દરમ્યાન આપોઆપ ખંડન થઈ ગયું છે.

entertainment news indian television television news tv show taarak mehta ka ooltah chashmah