20 April, 2020 07:39 PM IST | Mumbai | Rashmin Shah
સુમેધ મુદગલકર
કોરોના વેકેશનમાં સૌકોઈ અત્યારે લૉકડાઉન વચ્ચે ઘરમાં છે ત્યારે વીરેન્દર સેહવાગ પણ નેચરલી ઘરમાં છે. સેહવાગ ઘરમાં કેવી રીતે સમય પસાર કરે છે એનો હમણાં એક વિડિયો રિલીઝ થયો જેમાં સેહવાગે પોતાની લૉકડાઉન દરમ્યાનની રોજનીશીની વાત કરી અને એમાં એવું પણ કહ્યું કે તે હમણાં દરરોજ સ્ટાર ભારતની ‘રાધાક્રિષ્ન’ સિરિયલ જુએ છે. બસ, પત્યું. ‘રાધાક્રિષ્ન’નું આખેઆખું યુનિટ રાજીનું રેડ થઈ ગયું. ખાસ તો ‘રાધાક્રિષ્ન’માં કૃષ્ણનું કૅરેક્ટર કરતો સુમેધ. સુમેધ મુદગલકરની ખુશી અત્યારે અપાર છે. સુમેધ કહે છે, ‘મારી માટે મારી લાઇફનો આ યાદગાર દિવસ છે. વીરેન્દર સેહવાગ જેવો ગ્રેટ ક્રિકેટર અત્યારે તેની ફૅમિલી સાથે મારો શો જુએ છે એ વાત શો સાથે સંકળાયેલા સૌકોઈ માટે બહુ મોટું મોટિવેશન છે. વિરુસરની વાત સાંભળ્યા પછી મને થાય છે કે આ લૉકડાઉન જલદી પતે અને જલદી અમે નવા એપિસોડ શૂટ કરીએ.’
‘રાધાક્રિષ્ન’ એના નામ મુજબ જ રાધા અને કૃષ્ણની લવસ્ટોરી પર આધારિત છે. ઇન્ડિયન ટીવીનો આ પહેલો શો છે જેમાં રાધા અને કૃષ્ણના પ્રેમને આટલો વિસ્તાર સાથે દર્શાવવામાં આવ્યો છે.