શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીને મળ્યા જામીન

14 August, 2019 04:51 PM IST  |  મુંબઈ

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીને મળ્યા જામીન

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીને મળ્યા જામીન

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીને જામીન મળી ગયા છે. શ્વેતાએ તેના પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસ અભિનવની ધરપકડ કરી લીધી હતી. ત્યારે અભિનવના માતા પૂનમ કોહલી દીકરાના સમર્થનમાં આવ્યા છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, અભિનવને મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટથી જામીન મળ્યા. તેમને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. શ્વેતાએ અભિનવ પર તેમના અને દીકરી પલક પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પલકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ આરોપો વિશે વિસ્તારમાં જણાવ્યું હતું. પલકે કહ્યું હતું કે અભિનવે તેમણે એવા શબ્દો કહ્યા, જે સહન કરી શકાય તેમ નથી. જો કે પલકે તે સાફ કહ્યું હતું કે અભિનવે તેનું શારીરિક ઉત્પીડન નથી કર્યું.

અભિનવના માતાએ ટીઓઆઈ સાથે વાત કરતા કહ્યું કે છેલ્લા બે વર્ષથી અભિનવ અને શ્વેતાના સંબંધો સારા નથી ચાલી રહ્યા. અભિનવે વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કર્યો. તે બાળકો સાથે રહેવા ઈચ્છતા હતા, કારણ કે રેયાંશ નાનો હતો. પરંતુ બધુ સરખું ન થયું. પૂનમે કહ્યું કે અભિનવે પલક માટે બધું કર્યું. પરંતુ તેમણે બધું ભુલીને આરોપો લગાવી દીધા, કારણ કે તેઓ તેમનાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. શ્વેતા તેમને છૂટાછેડા આપવા માંગે છે.

આ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

શ્વેતા તિવારીએ અભિનવ સાથે બીજા લગ્ન કર્યા છે. રાજા ચૌધરી સાથે છૂટાછેડા બાદ શ્વેતાએ બીજા લગ્ન કર્યા હતા. રાજાની સાથે શ્વેતાને દીકરી પલક છે જ્યારે અભિનવ સાથે દીકરો રેયાંશ છે.

shweta tiwari