03 January, 2021 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ મલ્હોત્રા
શરદ મલ્હોત્રાનું કહેવું છે કે જો મને કોઈ ક્રીએટિવ કામ મળશે તો એ ફ્રીમાં કરીશ. શરદ મલ્હોત્રાએ ‘નાગીન 5’માં વીરાંશુ સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું છે. ૨૦૨૦નું વર્ષ સૌને જીવનના પાઠ શીખવાડીને ગયું છે. નવા વર્ષની શરૂઆત સકારાત્મકતા સાથે કરવા વિશે શરદ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘નવા વર્ષની શરૂઆત હું દિલમાં અનેક આભારની લાગણી સાથે કરી રહ્યો છું. હું આભાર માનવામાં વિશ્વાસ કરું છું અને એના વિશે સતત ચર્ચા પણ કરતો રહું છું. જીવનનિર્વાહ માટે પૈસા જરૂરી છે, પરંતુ એને મેં કદી પણ કમર્શિયલી મહત્ત્વ નથી આપ્યું. મારા માટે તો ક્રીએટિવ કામ જ મને આગળ ધકેલે છે અને પ્રેરણા આપે છે. એથી જો મને ક્યારેક કંઈ ક્રીએટિવ કામ મળશે તો હું એને ફ્રીમાં પણ કરીશ. જોકે મેં કર્યું પણ છે.’