27 September, 2019 11:28 AM IST | મુંબઈ
દિલીપ જોશીનું સપનું થયું સાકાર
'ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં'...આવું કહી રહ્યા છે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ. કારણ કે આખરે તેમની ઈચ્છા પુરી થઈ છે. અને તે છે રજનીકાંતને મળવાની. દિલીપ જોશીની આ ઈચ્છા પુરી થતા તેઓ ખૂબ જ ખુશ છે.
આવી રીતે થઈ મુલાકાત...
દિલીપ જોશી અને રજનીકાંતની મુલાકાત ફિલ્મ સિટીમાં થઈ. જ્યાં દિલીપ દોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે શૂટિંગ કરી રહ્યા હતા. અને જોગાનુજોગ રજની કાંત પણ ત્યાં હાજર હતા. અને બંનેની મુલાકાત થઈ.
દિલીપ જોશીનું સ્વપ્ન થયું સાકાર
રજનીકાંતને મળવાના પોતાના અનુભવને ટ્વિટર પર શેર કર્યા દિલીપ જોશીએ લખ્યું કે,'ભગવાન કે ઘરે દેર હૈ અંધેર નહીં. હું હંમેશા રજનીકાંતને રૂબરૂ મળવા માંગતો હતો. અને અનાયાસે આજે હું તેમને ફિલ્મ સિટીમાં મળ્યા. તેઓ પ્રેરણા સમાન છે અને વિનમ્રતાનું ઉત્તર ઉદાહરણ છે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને તેમને મળવાનો મોકો મળ્યો.'
આ પણ વાંચોઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....
ગરવા ગુજરાતી એવા દિલીપ જોશી રજનીકાંતને મોટા ચાહક છે. હાલ તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર નિભાવી રહ્યા છે. જેનો લોકો ખૂબ જ પસંદ કરે છે.