23 November, 2020 05:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાનુ ઉદય
સ્ટાર પ્લસ પર આવતા મહિને શરૂ થનારો શો ‘રુદ્રકાલ’ ખાસ હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બે હેતુ મુખ્યત્વે છે. એક તો વેબ-સિરીઝની બોલબાલા વધી છે એવા સમયે લાંબા શો જોવાની આદત ઓછી થતાં આ શોને ચાર મહિનામાં પૂરો કરવામાં આવશે અને એની જાહેરાત પણ અત્યારથી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે આ શો દ્વારા ફિલ્મ અને ટીવી વચ્ચેનું અંતર ઓછું કરવાનો પ્રયાસ થશે એટલે કે શોમાં એવા ઍક્શન-સીન્સ હશે જે સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતા હોય છે.
‘રુદ્રકાલ’ ડીસીપી બાબાની લાઇફમાં બનતી એક ઘટના પર આધારિત છે. ડીસીપી બાબાનું કૅરૅક્ટર ભાનુ ઉદય કરશે, જ્યારે તેની વાઇફનું કૅરૅક્ટર દીપાનીતા શર્મા કરશે. બાબાને તૈયાર કરવામાં પોતાનું આખું જીવન ન્યોછાવર કરનાર મેન્ટરનું મર્ડર થાય છે. આ મર્ડર કોણે કર્યું અને શું કામ કર્યું એ શોધવાનું કામ ડીસીપી બાબા કરશે જેમાં તેને પોતાનો પોલીસ-ડિપાર્ટમેન્ટ પણ નડતરરૂપ બનશે.
‘રુદ્રકાલ’ ડિસેમ્બરમાં ઑનઍર થશે.