TMKOCમાં દયાબેનના પાત્રને લઈ ફરી ડિંડવાણુ, રાખી વિજાને અફવા અંગે આપી સ્પષ્ટતા

20 June, 2022 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે `હમ પાંચ`ની જાણીતી અભિનેત્રી રાખી વિજાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કરવા જઈ રહી છે.પરંતુ હવે આ સમાચાર પણ અફવા સાબિત થયા છે.પોતે રાખી વિજાનએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

તસવીર (ઈન્સ્ટાગ્રામ)

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (taarak mehta ka ooltah chashmah)ના દર્શકો છેલ્લા 4 વર્ષથી તેમના પ્રિય દયાબેન એટલે કે દિશા વાકાણીના વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ ચાર વર્ષમાં ઘણી એવી અભિનેત્રીઓના નામ સામે આવ્યા, જેમની દયાબેન બનવાની ચર્ચા હતી, પરંતુ આજ સુધી દિશા વાકાણીનું સ્થાન કોઈ અભિનેત્રી નથી લઈ શકી.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે `હમ પાંચ`ની જાણીતી અભિનેત્રી રાખી વિજાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કરવા જઈ રહી છે.પરંતુ હવે આ સમાચાર પણ અફવા સાબિત થયા છે.પોતે રાખી વિઝનએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તે સ્પષ્ટ છે કે તે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` શોનો ભાગ બનવાની નથી. રાખીએ એ પણ સ્પષ્ટ કર્યું કે મેકર્સ દ્વારા તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો નથી.

રાખી વિજાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક કોલાજ શેર કર્યો છે. આ કોલાજમાં એક તરફ દિશા વાકાણીનો અને બીજી તરફ તેનો ફોટો છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, `આ સમાચાર અફવા છે...જેનાથી મને પણ આશ્ચર્ય થયું છે. નિર્માતા દ્વારા પણ મારો સંપર્ક કરવામાં આવ્યો નથી.`

દયાબેનના પરત ફરવા પર આસિત મોદીએ કહ્યું કે, `અગાઉ પણ અમે દયાબેનને શોમાં પાછા લાવવાનું વિચાર્યું હતું, પરંતુ કોવિડ-19ને કારણે કામ ન થયું. પરંતુ હવે અમે ટૂંક સમયમાં જ દયાબેનને શોમાં પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે એક-બે મહિનામાં તેમને પાછા લાવવાનો પ્રયાસ કરીશું. અમે ઈચ્છીએ છીએ કે દિશા વાકાણી શોમાં પાછી આવે, પરંતુ તેની કેટલીક પારિવારિક પ્રતિબદ્ધતાઓ છે. હજુ પણ હું આશા રાખું છું કે તે પાછી આવશે, ગમે તેટલું મુશ્કેલ લાગે. જો કોઈ નવો ચહેરો પણ શોમાં આવશે તો તે પોતાની એનર્જી લઈને આવશે. દર્શકોએ સમજવું પડશે કે શો ચાલુ જ રહેશે અને તેને 14 વર્ષ થઈ ગયા છે. શોમાં આવા રિપ્લેસમેન્ટ જોવા મળશે. તેથી, મારે તેના માટે તૈયાર રહેવું પડશે.`    

television news taarak mehta ka ooltah chashmah