શાદી મુબારકમાંથી રાજશ્રી ઠાકુરની એક્ઝિટ!

14 October, 2020 10:47 PM IST  |  Ahmedabad | Mumbai Correspondent

શાદી મુબારકમાંથી રાજશ્રી ઠાકુરની એક્ઝિટ!

શાદી મુબારકમાંથી રાજશ્રી ઠાકુરની એક્ઝિટ!

સ્ટાર પ્લસ પર ઑગસ્ટમાં લૉન્ચ થયેલા શો ‘શાદી મુબારક’માં મોટો ફેરફાર થવાનો છે. આ શો ‘સાત ફેરે’ ફેમ રાજશ્રી ઠાકુરના કમબૅકને લીધે ચર્ચામાં આવ્યો હતો, પણ હવે રાજશ્રીએ આ શો છોડવાનો નિર્ણય લઈ લીધો છે. ‘શાદી મુબારક’ના પ્રોડ્યુસર સાથે રાજશ્રીને મતભેદ થતાં એકાએક આ નિર્ણય લેવાયો છે એમ કહેવાય છે. જોકે રાજશ્રીએ આની પાછળ પોતાની નાદુરસ્ત તબિયત હોવાનું જણાવ્યું છે. અભિનેત્રીએ કહ્યું કે ‘હું શોમાં બહુ ખુશ હતી, પણ મારા માટે બધું હેક્ટિક થતું હતું અને તબિયત પર એની અસર થવાથી હું કામમાં ૧૦૦ ટકા ધ્યાન આપી શકતી નહોતી. એટલે પ્રોડ્યુસર્સ સાથે સહમતતીથી મેં આ શો છોડવાનો નિર્ણય કર્યો છે.’
રાજશ્રીએ ગયા શનિવારે છેલ્લા એપિસોડનું શૂટિંગ પણ પૂરું કરી નાખ્યું છે. હવે તેની જગ્યાએ રતિ પાંડે જોવા મળશે. શોના મેકર્સ હાલમાં તો રતિ સાથે વાતચીત કરી રહ્યા છે એટલે રતિએ કંઈ જાહેર કર્યું નથી. રતિ ‘મિલે જબ હમ તુમ’, ‘હિટલર દીદી’, ‘પોરસ’, ‘દેવી આદિ પરાશક્તિ’ જેવા શો માટે જાણીતી છે.

entertainment news indian television television news